Sunday, 30 January 2022

મારી નજરે કમ્ફર્ટ ઝોન એક ભ્રમ

ઈન / આઉટ કમ્ફર્ટ ઝોન!? 

"કમ્ફર્ટ ઝોન" આ શબ્દ સાંભળ્યો ને વાંચ્યો હશે જ સૌ કોઈએ. તો આ શબ્દને લઈને થોડુંક.

જીવનના અમુક પડાવે આ શબ્દ ખૂંચે. ને એમાં જ ડૂબવાનું મન થઈ જાય અથવા તો તોડવાનું. પણ એક છોકરી જે ભણવામાં નબળી છે ને એને ભણવામાં મન પણ નથી. અને ચડાવ પાસ થાય, દરેક ધોરણમાં. પછી કેટી સોલ્વ કરીને કે કાપલીનો સહારો લઈને પાસ થાય! હવે, આને આપણે શું કહીશું!? અને એક બીજો દાખલો લઈએ, જે પહેલીની જેમ જ ભણવામાં નબળી, પણ એને ભણવું છે. અને એ પ્રગતિ કરે છે. આને શું કહેશો!? કે કમ્ફર્ટ ઝોન તોડ્યો, એમ? પણ પહેલીની દ્રષ્ટિએ જોઈએ તો? એને સંઘર્ષ કર્યો હોય, એમ નથી લાગતું?

આપણે જ્યારે આપણી નજરથી દુનિયા જોઈએ છીએ તો ઘણું બધું કમ્ફર્ટ ઝોનમાં સ્થિત જીવન લાગશે અથવા તો સંઘર્ષમાં.

ખેર, હજુ એક ઉદાહરણ લઈએ. એક ખેડુતપુત્ર કે જેને ખેતીમાં રસ નથી અને તે જમીન વેચીને શહેરમાં શિફ્ટ થઈને રહેવા લાગે છે. અને બીજો એક વ્યક્તિ એન્જિનિયર હોવા છતાંયે પોતાને વારસામાં મળેલી જમીન ઉપર ઓર્ગેનિક ખેતી કરે છે! બન્ને પોતાની લાઈફમાં ખુશ છે. આમના કમ્ફર્ટ ઝોન અંગે શું કહેવું ?!

દરેક વ્યક્તિને પોતાનો સંઘર્ષ હોય છે , જેમાં શાંતિ, આનંદની અનુભૂતિ એ અલગ. આ અનુભૂતિને જ તેમની સફળતા એ ગણી શકાય ને !

હજી એક વ્યુ પોઇન્ટ ઉમેરું, એક સ્ત્રી પોતાની મરજીથી ગૃહિણી બનવાનું પસંદ કરે છે, જ્યારે બીજી બહાર કામ કરવાની ઈચ્છા છે પરંતુ આવડત નથી, ને આવડત કેળવવાનો રસ્તો ખબર છે પણ હિંમત નથી માટે ગૃહિણી બનવાનું પસંદ કર્યું. આ બન્નેમાં ફેર છે..સ્ત્રી બહાર નીકળી હુન્નર કેળવે, એને આજકાલના વિચારકોની દષ્ટિએ કમ્ફર્ટ ઝોન છોડ્યો કહેશું. અને જો ગૃહિણી બંને તોય જાતની ઈચ્છા સાથે સમજોતા કરી જીવવાનો સંઘર્ષ તો છે જ ! ... એને શું કહેશું ??

2 comments:

રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીએ મારું મનોમંથન

 26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે — શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું ...