Thursday, 2 December 2021

"એરેન્જ મેરેજ" - સહજ રીતનો અસહજ અમલ 1

જન્મ લગ્ન અને મરણ ત્રણ મહત્વના પડાવ છે જીવનમાં. જન્મ અને મરણ તો માણસનાં હાથમાં નથી, માણસ ખાલી લગ્ન જ પોતાની મરજીથી કરી શકે છે કે પસંદગી કરવાની તક મળે છે. આ વ્યવસ્થાને સમાજ અને સંબંધી દ્વારા મેનેજ થાય છે, જેને આજકાલ એરેન્જ મેરેજ કહેવાય છે. આમ તો પ્રાચીન કાળથી ગાંધર્વ વિવાહ એ ખાસા પ્રચલિત છે, પરંતુ મારા જેવાં ઘણાં જેમણે ભણતર અને જીવન માણવાની ધૂનમાં એ પાસા પર ધ્યાન નથી આપ્યું એમને ભાગે એરેન્જ મેરેજ જ આવે છે. જોકે ક્યાંક સમાજ શું કહેશે ! બીજી જ્ઞાતિમાં નહીં થાય! સંતાને માતા-પિતાની મરજીથી જ લગ્ન કરવાં જેવાં હઠાગ્રહ એ એરેન્જ મેરેજ ને વધારે "ખતરનાક" બનાવે છે. હું ખતરનાક શબ્દ જ વાપરવાનો પસંદ કરીશ કારણ કે, ભલે સિધ્ધાંતની દ્રષ્ટિએ આદર્શ વ્યવસ્થા હોય પરંતુ અમલ કરવામાં સમાજ દેખાદેખી વધારે ને બુધ્ધી ઓછી વાપરે છે, પરિણામે આદર્શ વ્યવસ્થાએ બેહુદુ રૂપ ધારણ કર્યું છે અને તેના ભોગ બને છે મારા જેવાં યુવાનો.

સારું પાત્ર પસંદ કરવાની લાહ્યમાં આપણે કેટકેટલું કરતા હોઈએ છીએ, પરંતુ સારું પાત્ર એટલે કેવું ? એ વિષે વિચાર ઓછો કરીએ છીએ. 
શરૂઆત જ 'છોકરી જોવાથી' કરીએ છીએ, જાણે દેખાવ જ મહત્વનો હોય. દેખાવે ગમી જાય એ છોકરી માતાપિતા સન્માન ના કરતી હોય તો ચાલશે ?! લગ્ન જીવન તો યુવાનીથી લઈને ઘડપણ સુધીનો સથવારો છે સુંદર ચહેરો યુવાનીમાં સારો લાગશે સાથે તોછડો સ્વભાવ હશે તો ચાલીસી પછી શું ! છોકરી પક્ષે વાત કરું તો સુખસુવિધા, ઘરકામમાં મનમાની છોકરાનાં ઘરની આર્થિક પરિસ્થિતિ જોઈને જ લગ્ન થાય. પરંતુ જ્યાં આત્મસન્માન ના જળવાઇ, જ્યાં સમાન વ્યવહાર ના થાય ત્યાં જીંદગી જીવાશે ? કે પછી ભૌતિક સુખસુવિધાની મલમપટ્ટીથી જીંદગીભર કામ ચલાવશો‌ ? દહેજમાં જોઈએ એ મળશે આધુનિક યુગમાં છોકરીનાં પરિવારને પરંપરા નામે કરિયાવરનો ભારો હોય જ છે, પરંતુ જોઈએ એટલું દહેજ લઈ આવે એ ઘરને ના જોડી રાખે તો ?!
આવા તો ઘણા સવાલો ઉભા હોય લગ્ન માટે પસંદગી કરવામાં પરંતુ પસંદગીનો આધાર શું ??
સમાજના બે ચાર લોકોનો "સારા છે" નો અભિપ્રાય અને વીસ પચ્ચીસ મિનિટની વાતચીત. શું આટલામાં લાઈફ પાર્ટનર શોધી શકાય !?
માણસને ઓળખવા માટે એ આટલો સમય અપુરતો છે ! અને કેટકેટલું જાણવાનું હોય સ્વભાવ, ગમા અણગમા , કેરીયર જોબ, માણસ તરીકે પાત્ર કેવું અને ખાસ એમની સાથે બાકીની લાઈફ આનંદમાં વિતશે ને ! જો 'joy of life' ના હોય તો બીજા 32 લક્ષણો મળે એનો એ મતલબ નથી..

ચતુર, પ્રભાવશાળી વ્યક્તિગત, વાક્પટુ ને સારું ફેમિલી બેકગ્રાઉન્ડ ધરાવતા છોકરા સરળતાથી પસંદગી મેળવી લેતા હોય છે જ્યારે છોકરીઓમાં પણ સુંદર, ઘરરખ્ખુ , શાંત, સંસ્કારી (કે સંસ્કારી હોવાનો દેખાવ કરી શકતી) ને સારો કરિયાવર લાવતી છોકરીઓ માટે રસ્તો સરળ હોય છે. મારા જેવી સિધ્ધાંત, સ્પષ્ટતા અને ભાવિનાં આયોજન સાથે ચાલતી છોકરીઓ માટે અહીં પણ સંઘર્ષ જ લખાયો હોય છે સાથે પારિવારીક સમસ્યા અને સંતોષી તોય ઓછી આવક સાથે જીવનને માણવાની ઇચ્છા રાખતા છોકરાઓ માટે પણ મેરેજ કરવામાં ઘણી સમસ્યાઓ હોય ‌છે.
મારી રીતે સ્પષ્ટ શબ્દમાં કહું તો તમે છોકરો હોવ કે છોકરી સમાજના મતે તમે ' પરફેક્ટ મેરેજ મટીરીયલ' નથી તો એ તમારી સૌથી મોટી ભૂલ છે. પાત્રો ને પસંદ કરવામાં સમાજે ઘડેલા આદર્શો સાથે જીવનને સેટ કરવામાં જ સમયની રેખા ખૂટી જાય છે, સમાજે નક્કી કરેલા આદર્શો બધાં પર સમાન રીતે ભલે લાગું થાય પણ બધાં એને સમાન રીતે પૂર્ણ કરી શકે એ જરૂરી તો નથી અને મારા મંતવ્ય મુજબ સમાજે નક્કી કરેલા આદર્શોમાં જાતને ફીટ બેસાડવામાં સમય બગાડવો એ કરતાં આપણાં આદર્શ સાથે સંયોજન સાંધે એવું પાત્ર શોધવામાં સમય કેમ આ આપવો ! અને ના મળે ત્યાં સુધી એ લાઇફમાં અધૂરપ કેમ રાખવી ?! પણ હા, સાથે એ વાતનો એ ખ્યાલ રાખવો પડે આપણે વ્યક્તિ સાથે લગ્ન કરીએ છીએ કોઈ રોબોટ સાથે નહીં કે જે આપણી ઈચ્છા મુજબ જ ચાલે. ટુંકમાં, "બન્નેની ઈચ્છા સ્વભાવ અને સપનાંનો એવો સરસ સમન્વય થવો જોઈએ કે લગ્નજીવન સમજણથી દીપી ઉઠે." બધું પોતાનું ધાર્યું જ થાય એ અંહ સામેનાં પાત્ર સાથે સંબંધને એ ખોખરા બનાવી દેય છે. એડજેસ્ટ ( adjustment) કરવામાં "ના" એ તમારો સમજણ ‌વગરનો એટીટયુડ છે પણ કેટલી હદ સુધી બન્ને પક્ષ સમાયોજન સાધી ખુશ રહી શકે એ સમજણ પર આધારિત છે

ટુંકમાં, વ્યવસ્થા લચીલી કરવા પહેલાં વ્યક્તિએ પણ પસંદગીના વલણમાં જડતા ત્યજી થોડા બદલાવ અપનાવવો પડશેને સામેનું પાત્ર 100 % આપણને જોઈએ એવું ના જ હોય એ સ્વાભાવિકતાને સ્વિકારી ચાલવું જોઈએ, આદર્શ પાત્રની માન્યતા બદલવી એ વ્યક્તિ અને નૈતિકતા પર આધાર રાખે છે પરંતુ જો એરેન્જ મેરેજની પ્રક્રિયા થોડી લચીલી બનાવાય ને તો આરામથી પાત્ર શોધવાની માથાકૂટ, મહેનત ને સરળ અને સરસ બનાવી શકાય ..... કેવી રીતે ? એ ફરી ક્યારેક...!

7 comments:

  1. મસ્ત ટોપિક આપ્યો છે,
    હું કઈક add કરીશ પણ બધાને વાગશે...

    ReplyDelete
    Replies
    1. હા add કરજોને હાર્દિકભાઈ, ભલે બધાને વાગે પણ આ વિષય પર વિચારો ને બદલાવ બહું જરૂરી છે...

      Delete
    2. તમે add કરજો જ.... સત્ય હંમેશા બધાં ને સારું લાગે એ જરૂરી ના હોય..

      Delete
  2. બહુ સારી વાત કરી છે..👌
    ક્યારેક અમને કોઈ આવા ટોપિક આપો અમે લખીએ .મજા આવશે 🙏

    ReplyDelete
  3. શબ્દ ચોર્યા વગર બહુ સરસ લખ્યુ છે.

    ReplyDelete
  4. Love hoy k arrange pan 28,30 varsh pachhi karvama aave te lagn sara chalta hoy 6 karan ke banne ma samajdari sari aavi jaay 6

    ReplyDelete

રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીએ મારું મનોમંથન

 26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે — શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું ...