Thursday, 23 July 2020

જ્વાળા

દઝાડે છે જ્વાળા
પરંતુ
કોને ફરીયાદ ! શું ઉકેલ !
મારાપણાનો ભાવસભર ભાગ "હ્દય"
હ્દય થયું છે તપ્ત !
આ તપ્ત મુઠ્ઠીભર ભાગ
પરિવર્તિત થઈ રહ્યો છે, "જ્વાળામુખમાં".
ઊઠતી જ્વાળાઓ
રુધીર બની પ્રસરી રહી છે
મારા મન, મસ્તિષ્ક અને સંપૂર્ણ પિંડમાં
ધીરે - ધીરે મારું અસ્તિત્વ જ
હાસ્ય , શાંતિ અને સૌમ્યતા ત્યજી
પરિવર્તન પામી રહ્યું છે, "જ્વાળામાં".
હું મને જ દઝાડતી જ્વાળા ‌બની સળગી રહી ‌છું
પરંતુ
જ્વાળા ફરિયાદ ના કરી શકે, "હું દાઝી છું"
ચિત્કાર ના કરી શકે,"મને પીડા થાય છે"
જ્વાળા બસ
રાખ બનવા સુધી દાઝતી રહે..
દઝાડતી રહે....

4 comments:

રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીએ મારું મનોમંથન

 26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે — શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું ...