Wednesday, 6 May 2020

કોરોના વોરિયૅસને શબ્દસલામી


બીજું તો શુ કરી શકું


જોવો ને કોરોના સામે કેવો ખરાખરીનો જંગ જામ્યો
સહુ વોરિયર્સે પોતપોતાની ફરજ કેરો રંગ જમાવ્યો

હું તો સામાન્ય વિદ્યાર્થી, ગુજરાતી,ભારતીય માનવી,
આ મહાયુધ્ધ વિશેષ તો શુ યોગદાન આપી શકું ! ..હું શું કરી શકું !

વિસારી મંદિરના ઈશ્વર,વસુધંરાના દેવને પૂજી શકું,
અમને વાઇરસથી રક્ષતા, ગુર્જર ધરાના સપૂતને વંદી શકું... હું બીજું તો શુ કરી શકું !

સંક્રમણના સંકટને ભૂલી,પીપીઈ માં જાતને પૂરી,
ગરમીમાં વધુ ગરમાટો સહતા સેવકોને સ્નેહી શકું... હું બીજું તો શુ કરી શકું !

સ્વજનોથી વિખૂટા, સેવામા સ્વ સમર્પિત કરનાર
દરેક ડૉકટર,નર્સ તેમજ સ્ટાફ માટે બસ પ્રાર્થના કરી શકું... હું બીજું તો શુ કરી શકું !

સૂમસામ રસ્તે ડામર દાઝતી ઝાળે સૂરજના તાપે
હદયે પોતાનાની ચિંતા, જાત રક્ષણમા આપનારને અર્પી શકું... હું બીજું તો શુ કરી શકું !

પાણો-આક્રોશ સામે લાકડી-સમજાવટથી ઊભા યોધ્ધાઓ,
સંયમની જીવંત મિશાલને સાથ સહકાર આપી શકું... હું બીજું તો શુ કરી શકું !

વાઇરસભર્યા વેસ્ટની કરતા સફાય હિંમતે,
સ્વચિંતા ત્યજી ફરજને વફાદાર પ્રત્યે કૃતજ્ઞતા રાખી શકું... હું બીજું તો શુ કરી શકું ?l!

હજારો વિરોધ, માંગ, ફરિયાદોને જીદની ગુંજો સામે,
સહુને સાચવતા સાંભળતા પ્રશાસનને પ્રશશી શકું... હું બીજું તો શુ કરી શકું !

સ્વજનોને સમજાવી શકું, મિત્રોને નિયમમાં રાખી શકું,
વોરિયર્સને જંગ જીતાડવા,જાતને સુરક્ષિત રાખી શકું... હું બસ એટલુ જ કરી શકું...

No comments:

Post a Comment

રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીએ મારું મનોમંથન

 26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે — શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું ...